Vaccination….
એક ડૉક્ટર તરીકે મારી ફરજ બને કે વધુમાં વધુ લોકો સુધી કોરોના વિષયક સાચી વાત પહોંચે….
તમે બધા કોરોના વેક્સિનની બહુ બધી અફવાઓ સાંભળી હશે…પણ
અત્યારના આ સમયમાં Vaccination જ એક માત્ર ઉપાય છે, કારણ કોરોના તો રહેવાનો જ છે, પણ જેટલા લોકો વધારે vaccinated હશે એમ બધાની herd immunity વધશે ને કોરોના સંક્રમણ ઘટશે.
આ વખતે બધાએ એક વાત નોટિસ કરી હશે કે હેલ્થકેર વર્કર ના મૃત્યુ 1st વેવ કરતાં ઓછા થાય છે, કારણ મોટા ભાગના હેલ્થકેર વર્કરોને રસી લેવાઈ ગયેલી છે. કોરોના થાય છે પણ severity ઘટી જાય છે, જેથી મૃત્યુ દર નહીવત જેવો છે .
તેમજ યુવાનો વૃદ્ધો કરતાં વધુ સંક્રમિત થાય છે અને એમના મૃત્યુ દર માં પણ વધારો થયો છે એનું કારણ યુવાનો માં હજી Vaccination થયું નથી ને વૃદ્ધો માં Vaccination થઇ ગયેલું હતું.
Vaccine લીધી હોય એને કોરોના થવાની શકયતા એકદમ ઘટી જાય છે, અને કોરોના થાય તો પણ vaccine ના કારણે viral load ઓછો રહેવાથી hospotalization નથી થવું પડતું અને ઝડપથી રિકવરી આવે છે .
હું અત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન ઘણાં એવા દર્દીઓ જોઉં છું ,જેને vaccine લેવાઈ ગયેલી છે ને બીજા દર્દી કરતાં ઉમર પણ મોટી છે તેમ છતાં તે સૌથી વધુ stable છે ,અને ઝડપથી સાજા થઈ ઘરે જાય છે.
કોરોના દર્દીએ હોસ્પિટલમાં રજા થયાના ૧મહિના પછી vaccine લેવી હિતાવહ છે, જ્યારે અન્ય લોકો એ કોઈપણ તકલીફ ના હોય તો vaccine લઇ લેવી વધુ હિતાવહ છે.
જો કોઈને સાદો તાવ કે બીજા લક્ષણો હોય તો કોરોના નો ટેસ્ટ કરાવી જો નેગેટિવ આવે તો vaccine લેવી .
Vaccine પછી આવતા માઇનર તાવ ના ડરથી vaccine જ ના લેવી એ નરી મૂર્ખામી છે.
માટે વહેલા માં વહેલી તકે vaccine લઇ કોરોના સામેની લડતમાં સહભાગી બનીએ, herd immunity strong બનાવીએ ને બધા સ્વસ્થ બનીએ. ….
ખોટી અફવાઓથી દૂર રહી તન અને મન બંનેની immunity strong બનાવીએ.
એક ડૉક્ટર તરીકે બધાને હાથ જોડીને વિનવું છું કે વહેલામાં વહેલી તકે vaccine લઇ લેજો .
આજથી cowin app પર રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે 18+age માટે..
1may થી 18+age વાળાને vaccine અપાશે.